એનોલોગ પનીર છે શું અને કેમ સરકારે પ્રતિબંધ મૂક્યો…
અભિનવ ન્યૂઝ ડેસ્ક તહેવારોની મોસમ હોય, લગ્નપ્રસંગ હોય કે પછી હોટલ-રેસ્ટોરન્ટમાં જમવાનું હોય, પનીરની વાનગીઓ મોટાભાગના લોકોની પહેલી પસંદ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હોટલની ગ્રેવીમાં ઓગળતું અને મોંમાં મુકતા જ સોફ્ટ લાગતું આ પનીર ખરેખર શુદ્ધ દૂધમાંથી બનેલું છે? ખાદ્ય સુરક્ષા વિભાગના તાજેતરના દરોડા અને અહેવાલો મુજબ, બજારમાં અસલી પનીરના નામે ‘એનાલોગ પનીર’ (Analogue Paneer) એટલે કે નકલી અને આર્ટિફિશિયલ પનીરનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. સામાન્ય માણસના સ્વાસ્થ્ય સાથે રમાતી આ રમત પાછળનું સત્ય અને તેના જોખમો દરેક નાગરિકે જાણવા જરૂરી છે.






