નર્મદા વિશ્વવિખ્યાત ‘કવાંટ ગેર મેળા’ની સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે અનાવરણ કરાયું
વિશ્વવિખ્યાત ‘કવાંટ ગેર મેળા’ની
સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું અનાવરણ થતાં રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડતો ‘કવાંટ ગેર મેળો’ માત્ર એક ઉત્સવ નથી, પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતિક છે. આ મેળો સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ સાથે વિરાસત ભી વિકાસ ભીને પણ ઉજાગર કરે છે.
આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય અભેસિંગ તડવી છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

