નર્મદા દેવમોગરા ચાલી રહેલા પાંચ દિવસ્ય ભવ્ય મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા સાંસદ મનસુખ વસાવા અને બીજેપીના એસટી મોરચાના પ્રદેશ સભ્ય ગણપત વસાવા એ માતાજીના દર્શન કર્યા નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજના કુળદેવી યાહામોગી માતાજીના દર્શન કરવા ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ રાજયના ભકતો મહાશિવરાત્રીના પાવન અવસર પર ખુબ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે આજે ભરૂચ સાંસદ મનસુખ વસાવા તેમજ બીજેપીના પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ અને ધારાસભ્ય ગણપત વસાવા સાથે આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે માતાજીને પ્રાર્થના કરી હતી સાથે સ્વયંસેવકોની કામગીરી વખાણ કરી હતી સાથે તેઓએ પણ ગણપતભાઈ સાથે દર્શનાર્થીઓને ભોજન પીરસ્યુ હતો


