
બીજેપી સાંસદ મનસુખ વસાવા એ તેમના નિવાસસ્થાને પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી. તેમણે સૌને ખજૂર-કોપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો.ભરૂચ સાંસદે ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી તેમણે કાર્યકર્તાઓ સાથે આનંદ વહેંચ્યો અને સૌને શુભકામનાઓ પાઠવી.ધુળેટી પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પરસ્પર રંગ લગાવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા દેખાયા.બન્ને નેતાઓ એ આગામી સ્થાનિક ચૂંટણીઓ મા કેસરિયો લહરાશે નો આશાવાદ વ્યક્ત કર્યો

