Exclusive- ડેડીયાપાડા ક્યા બે આદિવાસી યુવા નેતાઓ બીજેપી ખેસ પહેરશે
નર્મદા ,26 ફેબ્રુઆરીએ આદિવાસી સંમેલનમાં આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવા નો પણ સન્માન સમારોહ નું ભવ્ય આયોજન કરાયું છે જે કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી , કેબીનેટ મંત્રી નરેશ પટેલ,મંત્રી જયરામ ગામીત, નર્મદા પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ,બીજેપી પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ભાજપના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે ત્યારે અભિનવ ન્યૂઝ પાસે મળેલી એક્સક્લુઝિવ જાણકારી મળી છે કે અનેક નેતા કાર્યકરો અન્ય પાર્ટીમાંથી છોડીને ભાજપમાં જોડાનાર છે તેમાં પણ બે મોટા આદિવાસી નેતાઓ ભાજપનો ખેસ પહેરનાર છે ત્યારે કાર્યક્રમ પહેલા ભાજપે વિપક્ષની મહત્વની બે વિકેટ ખેરવી લીધી છે અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપ હવે પોતાના પત્તા ફેંકવાના શરૂ કરી દીધા છે અને પત્તામાં તેઓએ હુકમના એક્કા જેવા ગણી શકાય એવા યુવા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

